પ્રાચીન સમયમાં ઘરેલૂ ઔષધીઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હતો. તેમાંથી જ શ્રેષ્ઠ ઉપાય છે મધ અને તજનો. આ બન્ને વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
આ બન્ને વસ્તુઓ એટલી કારગર છે કે તેનાથી તમારું વધતું વજન અને પેટ પરની ચરબી બન્નેને ઝડપથી ઘટાડી શકાય છે.
દરરોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને ચપટી તજનો પાઉડર મિક્ષ કરી પી જાઓ. આપનું શરીર ઘણી બીમારીઓથી બચી શકે છે
આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનાં નિયમિત ઉપાય માત્રથી જ તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થઇ જાય છે. પણ આ તમામ ઉપાય નિયમિત કરવામાં આવે તો જ તેનાંથી ફાયદો મળે છે.
આના માટે લાંબાગાળાનું રોકાણ કરવું પડે છે. તે એન્ટિબાયોટિકની જેમ તુરંત જ કામ નથી કરતાં. પણ તે ધીરે ધીરે કરીને જડમૂળમાંથી બિમારીનો નાશ કરે છે.
એટલે તમે અમારા દ્વારા સુચવવામાં આવેલી કોઇપણ ટિપ્સનો ઉપાય અજમાવો. તમારે તેને નિયમિત ફોલો કરવી પડશે. તેનાં નિયમિત ઉપાયથી જ તમને તમારી સમસ્યાનો ઉકેલ મળશે.
તો આજે આપણે વાત કરીશું આપણાં રસોડામાં સરળતાથી મળી જતા તેજાના તજ વિશે. જી હાં. તજની તાસીર તીખી હોય છે. તેથી જ તે તમારાં શરીરનાં ખરાબ તત્વો પર તીખો વાર કરે છે અને તમારા શરીરને રોગમુક્ત બનાવે છે.
ત્યારે ચાલો જાણીએ એક ગ્લાસ હુંફાળા પાણીમાં ચપટી તજનો ઉપાય. જે તમારા શરીરને મોટાભાગની બીમારીઓ સામે રક્ષણ આપશે અને તમારું વજન ઘટાડશે. તેથી જ તજ વાળુ પાણી નિયમિત તમારે પીવું જોઇએ.
તજ મેગનીઝ, કેલ્શિયમ અને ફાયબરથી ભરપૂર છે તે શરીર માટે ફાયદાકારક છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ તત્વ હોય છે જેથી તમારું શરીર મોટાભાગની બીમારીથી દૂર રહે છે.
શું કરવું :
દરરોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને ચપટી તજનો પાઉડર મિક્ષ કરી પી જાઓ. આપનું શરીર ઘણી બીમારીઓથી બચી શકે છે અને તમારા શરીર ના વજન માં તમને તરત જ ફેરફાર દેખાશે.
તજના પાણી અને મધનાં ફાયદા પર કરી લો એક નજર :
દરરોજ સવારે નાયણાંકોઠે ચપટી તજને હુફાંળા પાણી અને મધ સાથે મિક્સ કરીને આ મિશ્રણ પીવાથી વજન ઉતરશે.
હુંફાળા પાણીમાં તજનો ઉપાય આપનાં હાર્ટ સંબંધીત તમામ સમસ્યા દૂર કરશે. કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં લાવશે.
તેમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગૂણો હોવાથી તે શરદી-ખાંસી અને ગળાની સમસ્યાનો અક્સીર ઇલાજ છે.
તજનું હુફાળુ પાણી તમારા બોડી માટે પ્યોરીફાયનું કામ કરશે. તેનાંથી બ્લ્ડ શુદ્ધ થશે. અને તમને સ્કિનની તમામ સમસ્યાનું નિરાકરણ આવશે.
જો તમે ડાયાબિટીસનાં પેશન્ટ છો તો તમારે દરરોજ સવારે હુફાળા પાણીમાં તજનો ઉપાય ચાલુ કરવો જ જોઇએ તેનાંથી શુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
હુફાળા પાણીમાં તજ અને મધનો ઉપાય તમારી પાચન શક્તિ પણ વધારે છે. તેથી કબજિયાતની સમસ્યામાં પણ તે રામબાણ ઇલાજ સાબિત થાય છે.
જો તમને યૂરિન ઇન્ફેક્શનની સમસ્યા થાય તો પણ આ ઉપાય તમને કામ લાગશે.