Uncategorized

રાજહંસ ગ્રુપના ભવ્ય લગ્નનો ડ્રોન વિડિઓ આવ્યો સામે… બાહુબલીના સેટને પણ ટક્કર આપે એવો સેટ…

રાજહંસ ગ્રૂપના બિલ્ડર વિજય દેસાઈની પુત્રીના લગ્ન, કરોડો રૂપિયાના અદભૂત, ભવ્ય અને અકલ્પનીય સેટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે લગ્ન સમારોહમાં બોલિવૂડ અને રાજનીતિની અનેક જાણીતી હસ્તીઓ મહેમાન તરીકે હાજર રહી હતી. સુરતના ડુમસ રોડ પર એક ઈવેન્ટ પ્લોટમાં 27મી જાન્યુઆરીના રોજ લગ્ન સમારોહ યોજાયો હતો.

જેમાં અભિનેત્રી રવિના ટંડન અને મલાઈકા ખાન નોરાહ ફતેહી, રણવીર સિંહ ડાયરેક્ટર બોની કપૂર, ક્રિકેટર સચિન તેંડુલકર તેમજ પત્ની અંજલિ તેંડુલકર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને યોગ ગુરુ બાબા રામદેવ સહિત રાજનેતાઓ તેમજ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.

અહેવાલો અનુસાર, શહેરમાંથી માત્ર થોડા લોકો અને રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈના નજીકના પરિવારના સભ્યોને જ મહેમાન તરીકે હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની ભત્રીજીના લગ્નની ઉજવણી થઈ ચૂકી છે, જો કે આ લગ્ન માટે 35,000 અથવા 40,000 રૂપિયાની કંકોત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ ખાસ મહેમાનોને આમંત્રણ આપવા માટે આપવામાં આવી હતી.

આ મોંઘીદાટ કંકોત્રીને લઇ છેલ્લા એક પખવાડિયાથી શહેરના ઉદ્યોગ જગત અને કોર્પોરેટ લોબીથી લઇ હાઈપ્રોફાઈલ લોબીમાં ચર્ચા ચાલી રહી હતી,જે અનુસાર માત્ર કંકોત્રી જ 35 હજાર રૂપિયા કરતા વધુની હોય સમગ્ર લગ્ન પ્રસંગના આયોજનમાં મેહમાનનવાજી કરવા અંદાજિત 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે લોકો લગ્નને યાદગાર બનાવવા માટે ફોટોશૂટનો ખર્ચ કે હનીમૂન ડેસ્ટિનેશનને લઇ બજેટ અનુસાર ઘણા વિચારો પછી તૈયારી કરતા હોય છે પરંતુ આ બધી વાતોથી અલગ બિલ્ડર જયેશ દેસાઈએ લગ્ન પ્રસંગમાં આવતા તમામ મહેમાનોને ચારધામની યાત્રા કરાવી છે.લગ્ન માટે તૈયાર કરાયેલા આ આલિશાન મંડપ માટે ચાર જ્યોતિર્લિંગના આબેહૂક મંદિર બનાવવામાં આવ્યા હતા.

એન્ટ્રી ગેટથી પ્રવેશ કરતા જાણે દેવભૂમિ પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય એ પ્રકારે આખો સેટ ઉભો કરવામાં આવ્યો હતો.જેની પાછળ અંદાજિત અહીં મધ્યપ્રદેશ ખાતે આવેલ મહાકાલનું મંદિર,ઉતરાખંડમાં આવેલ કેદારનાથ,ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર અને આંધ્રપ્રદેશ ખાતે આવેલા મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યું હતું.

આ ઊપરાંત શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ,દ્વારકા,જગન્નાથપુરી,રામેશ્વરમનો સમાવેશ થાય છે.આ આખો સેટ એ રીતે તૈયાર કરાયો છે કે અહીં આવનાર મહેમાન એક સમય માટે જાણે મંદિર જ પહોંચી ગયા હોય તે રીતની અનુભૂતિ કરે અને ત્યારબાદ તેઓ લગ્ન મંડપમાં પ્રવેશ કરશે.જ્યાં વરમારા અને લગ્ન વિધિ માટે તૈયાર કરાયેલા મંડપ પણ મહેલની જેમ તૈયાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત મહેમાનોની બેઠક વ્યવસ્થા પણ ખુબજ સુંદર ગોઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.