Uncategorized

જો તમને વીંછી ડંખ મારે તો ગભરાવવુ નહીં કરો આ એક જ સસ્તો દેશી ઈલાજ માત્ર થોડા જ સમય મા ઉતરી જાશે ઝેર

વીંછી એક ઝેરી કૃમિ છે કે જેના કરડવા થી ઘણી પીડા થતી હોય છે અને ઘણીવાર તો આ પીડા એટલી ભયંકર બની જતી હોય છે કે તે માણસ ને મૃત્યુ સુધી ધકેલી દે છે પણ આવું ઓછુ બનતું હોય છે.

કોઇપણ પ્રકાર ના વીંછી ના કરડવા બાદ નો પ્રથમ ઉપાય તો એ છે કે તમેં કરડયા ની જગ્યા ને આગળ તેમજ પાછળ ના ભાગ થી કોઈ કપડા વડે બાંધી લો. જેથી તેનું ઝેર આપણા શરીર મા પ્રસરે નહી.

વીંછી કરડ્યો છે કે નહી તેના માટે ના લક્ષણો એવા છે કે કરડયા વાળી જગ્યા પર સોજો દેખાવા લાગે છે અને ઘણા કિસ્સાઓ મા તો આ સોજો નથી પણ દેખાતો.

આ સિવાય ઘણા કિસ્સાઓ મા તેના કરડવા થી અસહ્ય વેદના થતી હોય છે અને તેની કરડયા ની જગ્યા સુન્ન પડવા લાગે છે.

આ સાથે જ ઊલટીઓ થવી, પરસેવો નીકળવો અથવા તો ઘણી વાર મોંઢા માથી સફેદ ફીણ જેવું પ્રવાહી નીકળવું, પેશાબ અથવા તો મળ થઇ જવો અને મળમાર્ગ ની સ્નાયુઓ મા ખેંચાણ થવો.

આ સિવાય માથા, ગળા તેમજ આંખો મા અનૈચ્છિક હલન-ચલન થવુ અથવા તો ચાલવામા મુશ્કેલી થવી શામેલ છે. આ સિવાય અનિયમિત હ્રદય ના ધબકારા, શ્વાસ લેવા મા તકલીફ, બોલવા મા તેમજ જોવા મા તકલીફ જેવી પ્રતિક્રિયાઓ થાય છે.

આ અસહ્ય પીડા ને દુર કરવા માટે એક હોમિયોપેથિક દવા છે અને તેનુ નામ છે ‘સિલિકા ૨૦૦’. આ પ્રવાહી ના માત્ર ૫ મી.લી. આપણા ઘર મા રાખવા અને જયારે પણ વીંછી ડંખે ત્યારે આ દવા ના માત્ર એક ટીપું જીભ ઉપર દસ-દસ મિનિટ ના અંતરે ત્રણ વાર આપવો.

વીંછી જયારે કરડયો હોય ત્યાં તે તેનો ડંખ મૂકી દે છે અને તેના લીધે દુ:ખાવો થાય છે.

આ ડંખ ની તકલીફ માંથી બહાર નીકળવું સરળ નથી. ડૉક્ટર આગળ બતાવવા જવા થી ચામડી ને કાપી નાખશે અને એક ચીરો કરશે ત્યારબાદ તે માથી લોહી પણ નીકળશે અને તકલીફ પણ વધારે થશે

આ દવા એક બેસ્ટ દવા માનવામા આવે છે અને તેના ત્રણ ડોઝ આપવા થી વીંછી નો ડંખ આપમેળે બહાર આવશે અને માત્ર ત્રણ ટીપાં અડધી કલાક મા તમે દર્દી ને ઠીક કરી શકો છો.

આ ઘણી શક્તિશાળી દવા છે અને આ દવા નદી ની ઓછી રેતી વાળી માટી માથી બનાવવા મા આવે છે.

આ દવા આ સિવાય બીજા ઘણા કામ મા ઉપયોગ મા લેવાય છે. જો તમને સીવણ મશીન મા કામ કરતા ઘણીવાર સોય વાગી જતી હોય અથવા તો તે અંદર જ તૂટી જતી હોય છે ત્યારે આ સમયે તમે આ દવા લઈ શકો છો જેથી સોય બહાર નીકળી જશે.

આ સિવાય આ દવા નો બીજી ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે જેમ કે કાંટો, કાચ વાગવો, ભમરો કરડવા પર, મધમાખી કરડવા પર, આ સીવાય કોઇપણ જંતુ ના કરડયા પર આ દવા લઈ શકાય છે.

જેથી તમને ખૂબ જ ઝડપી દુખાવો દૂર થાય છે અને જો કોઇપણ વસ્તુ અંદર ખૂંચી ગઈ હોય તો તે બહાર નીકળી જાય છે.

આ ૫ મી.લી ની દવા ના માત્ર દસ જ રૂપિયા છે અને જે કોઇપણ હોમિયોપેથીક સ્ટોર્સ માથી સરળતા થી મળી શકે છે. આ દવા થી ઘણા લોકો નુ ભલું કરી શકો છો.

કોઈ વિશેષ પરિસ્થિતિ મા નિર્ણય લેતા પૂર્વે ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી અને આ સાથે જ વીંછી કરડયા ની જગ્યા થી આશરે ચાર આંગળી ઉપર કપડા તેમજ દોરડા થી બાંધવું જોઈએ જેથી તેનું ઝેર શરીર ના બીજા ભાગ મા ન ફેલાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *