Uncategorized

હવે જાતે ફાટેલ એડીઓ ને આ પ્રકારે બનાવો કોમળ અને સુંદર

વરસાદ ની ઋતુ જઈ ચુકી છે અને ઠંડી ની ઋતુ એ દસ્તક આપી દીધી છે અને એવામાં ઠંડીની ઋતુ આવતા જ ત્વચા સંબંધી ઘણા પ્રકારની સમસ્યાઓ નજર આવવા લાગે છે. ઠંડી ની ઋતુ આવતા જ ત્વચા રુખી અને બેજાન થઇ જાય છે.

કારણકે ઠંડી ની ઋતુ માં લોકો પાણી ઓછુ પીવે છે અને ઋતુ શુષ્ક હોવાના કારણે શરીર માં પાણી ની ઉણપ થવા લાગે છે અને આપણને ખબર પણ નથી પડતી કે આપણા શરીર ને પાણી ની જરૂર છે કારણકે દિવસ માં તરસ બહુ ઓછી લાગે છે.

ફાટેલ એડીઓ ને આ પ્રકારે બનાવો કોમળ અને સુંદર

જો વાત કરીએ આજ ના સમય ની તો લોકો આજકાલ પોતાની દિનચર્યા માં એટલા વ્યસ્ત છે કે તે પોતાની ઉપર વધારે ધ્યાન નથી આપી શકતા અને જેના કારણે આપણને બહુ બધી સમસ્યાઓ નો સમનો કરવો પડે છે અને ઠંડી ના દિવસો માં તો આ સમસ્યા વધારે વધી જાય છે. વાત કરીએ મહિલાઓ ની તો મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય ની તરફ વધારે લાપરવાહ હોય છે.

કારણકે તે ઘર અને ઓફીસ ના કામો માં એટલી ગુંચવાયેલ હોય છે કે તેમની પાસે પોતાના સ્વાસ્થ્ય ની તરફ ધ્યાન આપવાની તક નથી મળતી, એવામાં તેમનું ધ્યાન પોતાની એડીઓ ની તરફ નથી જતું, જેના કારણે તેમની એડીઓ બહુ ખરાબ રીતે ફાટી જાય છે અને આ બહુ જ દર્દ આપવા વાળી હોય છે.

એવામાં આજે અમે તમને કેટલાક એવા નુસખા ના વિશે જણાવવાના છે, જેને તમે અપનાવીને પોતાની ફાટેલ એડીઓ થી છુટકારો મેળવી શકો છો. આ નુસખા ને બનાવવા માટે એક ચમચી એલોવેરા જેલ, ત્રણ ટીકીયા પૂજા વાળું કપૂર,

એક ચમચી વેસલીન પેટ્રોલીયમ જેલી ને લો. હવે સૌથી પહેલા કપૂર ની ટીક્કી ને પીસીને તેનો પાવડર બનાવી લો અને હવે તમે આ પાવડર માં એક ચમચી વેસલીન પેટ્રોલીયમ જેલી અને એક ચમચી એલોવેરા જેલ ને નાંખીને સારી રીતે મિલાવી લો.

પરંતુ આ વાત નું ધ્યાન રાખો કે કપૂર પૂજા વાળો જ હોવો જોઈએ. તેના પછી એક ટબ માં હલકું ગરમ પાણી ભરેલા અને તેમાં બે ચમચી લીંબુ નો રસ મિલાવીને 10 થી 15 મિનીટ સુધી પોતાના પગ ને તેમાં ડુબાડીને રાખો અને 15 મિનીટ પછી પોતાના પગ ને પાણી થી બહાર નીકાળીને સારી રીતે પૂછી લો.

આ ઉપાય પણ છે ઉપયોગી

હવે પોતાના ફાટેલ એડીઓ પર બનાવતા પેસ્ટ ને સારી રીતે લગાવીને જુરાબા પહેરી લો, તમે આ નુસખા નો ઉપયોગ દરરોજ રાત્રે ઊંઘતા સમયે કરો. આ પેસ્ટ ને લગાવવાથી દસ થી પંદર દિવસ માં જ તમારી ફાટેલ એડીઓ એકદમ નરમ અને મુલાયમ થઇ જશે.

આ નુસખા ને બનાવવા માટે તમને બહાર જવાની જરૂરત જ નથી પડતી અને આ નુસખા ને બનાવવા માટે સામાન પણ બહુ સસ્તા મળી જાય છે કારણકે બહાર થી ફાટેલ એડીઓ ની ઉપર લગાવવા માટે જે ક્રીમ મળે છે તે બહુ જ મોંઘા થાય છે. તેથી તમે મોંઘી ક્રીમ નો ઉપયોગ ના કરીને આ નુસખા નો ઉપયોગ કરો કારણકે આ ઉપયોગ માં બહુ સરળ છે અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી પડતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *