Uncategorized

કાનની પીડા દૂર કરવા માટે અજમાવવા જેવા સરળ ઉપચારો

કાનની પીડા અથવા કર્ણશૂળ એ ખૂબ પીડાદાયક તકલીફ હોય છે. ઘણી વખત તાત્કાલિક ઉપાય ના યોજવામાં આવે તો ખૂબ મુશ્કેલી અનુભવાય છે.

અહી કેટલાક સરળ ઉપચારો દર્શાવ્યા છે જે કર્ણશૂળમાં ઉપયોગી થાય તેવા છે. આ ઉપાયો અનુભવજન્ય છે. અને દરેક ઉપાય બધા માટે અસરકારક ના પણ હોય. આમ છતાં, આ પૈકી કોઈક ઉપાય દરેકને ઉપયોગી થઈ શકે અને દર્દ મટાડવા કામ આવે તેવા આશયથી રજૂ કરેલ છે.

આવા કેટલાક સરળ ઉપાયો નીચે મુજબ છે:

તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.

આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી ચસકા મટે છે.

મધનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે.

તલના તેલમાં હિંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુખાવો મટે છે.

તુલસીના રસનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે પણ મટે છે.

આ ઉપરાંત નીચેના ઉપાયો પણ કાનની પીડા માટે ઉપયોગમાં લઈ શકાય:

કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાંખવાથી સણકા મટે છે અને પરુ થયું હોય તો તે પણ મટે છે.

નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાંખવાથી કાનનાં સણકા અને દુખાવો મટે છે.

આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાંખવાથી કનના સણકા અને દુખાવો મટે છે.

ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાંખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.

વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.

તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.

સ્થળ સમય અને વ્યક્તિના દર્દ અનુસાર આ ઉપાય પણ અજમાવી શકાય:

કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસિયાના તેલના ટીપાં નાંખવાથી બહાર નીકળી જાય છે.

કાનમાં બગાઈ, કાનખજૂરો જેવાં જીવજંતુ ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં ટીપાં નાંખવાથી ફાયદો થાય છે, કાનનું શૂળ અને રસી પણ મટે છે.

કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબનાં ટીપાં દરરોજ નાંખતાં રહેવાથી બહેરાશ દૂર થાય છે.

તુલસીનાં પાંદડાને લીંબુના રસમાં વાટી તેનાં ચાર ટીપાં દિવસમાં ત્રણવાર કાનમાં નાંખવાથી દુખાવો મટે છે.

માતાના ધાવણમાં મીઠું મેળવી ટીપાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.

ભોરિગણીનું મૂળિયું ઘસી કાનમાં ટીપાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.

કાનફોડીના પાનનો રસ કાનમાં નાંખવાથી દુખાવો મટે છે.

આકડાના પાન પર ઘી લગાવી તેને ગરમ કરી રસ કાઢી કાનમાં ટીપાં નાંખવાથી કર્ણશૂળ મટ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો,

જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *