Uncategorized

ભગુડા ધામ માં બિરાજમાન માં મોગલ ના દર્શન કરવાથી તમારી દરેક મનોકામના થશે પૂર્ણ..એક વાર આ ફોટા પર ટચ કરી ને કરી લો દર્શન…

ગોહિલવાડનું નાનું ભગુડા ધામ, સંતો અને શુરાઓની ભૂમિ, મા મોગલનું બેસણું છે. 450 વર્ષ પહેલા માતાજી નલરાજાની તપોભૂમિ ભગુડા ગામે પધાર્યા હતા. લોકોની અમીટ આસ્થાને કારણે આ ઐતિહાસિક ધામ આજે પ્રખ્યાત બન્યું છે. મંદિર ટ્રસ્ટ દર્શનાર્થે આવતા ભક્તોને રહેવા-જમવા સહિતની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડે છે.

ભાવનગરથી 80 કિમી, મહુઆથી 25 કિમી, બગદાણાથી માત્ર 11 કિમી. અને ગોપાનાથથી 30 કિમીના અંતરે આવેલું ભગુડા ગામ મંગલ ધામ છે. 3500ની વસ્તી ધરાવતું મહુવા તાલુકાનું ભગુડા ગામ મોગલ માતાના ચાર ધામ પૈકીના એક ધામમાં સમાવિષ્ટ છે. આ મંદિરનો ઈતિહાસ રસપ્રદ છે.

આશરે 450 વર્ષ પહેલા દુકાળ પડતા આહિર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા.  ત્યાં ચારણ અને આહિર જ્ઞાાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતા પણ વિશેષ સબંધ બંધાયો હતો.

ચારણ જ્ઞાાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હોય,  તેમણે આહીર જ્ઞાાતિના વૃધ્ધાને રખોપાના નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા.  માતાજીને સાથે લઈ આહિર વૃધ્ધા ભગુડા આવ્યા હતા અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા – અર્ચના શરૂ કરી હતી.

આઈ માઁ મોગલ પ્રત્યે કામળિયા સોરઠિયા આહિર પરિવારોની અખૂટ શ્રધ્ધા અને ભક્તિ તેમજ જે કોઈ માંઈ ભક્તો મનથી સ્મરણ કરી જોળી ફેલાવે તેમની માતાજી મનોકામના પૂર્ણ કરતા છે.  તેથી જ મોગલ માતાના ભક્તોની સંખ્યા લાખો – કરોડોએ પહોંચી છે.  ભગુડામાં મોગલ માતાજીનું સ્થાપન જૂનું હતું. આ સ્થાપની જગ્યાએ 23 વર્ષ પૂર્વ મંદિરનું નવનિર્માણ થયું કરવામાં આવ્યું હતું.

નવા મંદિરમાં શ્રધ્ધાળુઓ માટે રહેવા – પ્રસાદ અને વિશાળ મેદાનમાં વાહન પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.  મંદિરનો વિકાસ કરાયો છે.  પરંતુ આજે પણ પરંપરા બદલવામાં આવી નથી.  ભગુડા ધામમાં મોગલ માતાની મૂર્તિના બદલે ફળુ પૂજાય છે.

મંદિરમાં કાલ્પનિક મૂર્તિઓની સ્થાપના કરાઈ છે તેમ છતાં માતાજી ફળા સ્વરૂપે જ છે.  ભગુડામાં કોઈ ભુવા કે ભુઈ નથી.  શ્રધ્ધાળુઓ ગમે તે સમયે માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર 24 કલાક ખુલ્લું રહે છે.  ભગુડાના મોગલ માઁએ અસંખ્ય પરચા પૂર્યા છે,  જે કોઈ શ્રધ્ધાળુઓ શ્રધ્ધાથી માનતા કરે તેને અચૂક લાભ થતો હોવાના દાખલા મૌજુદ છે.

મંગળવાર માતાજીના દર્શન માટે અતિ શુભ ગણાય છે,  એટલે મંગળવારે દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે.  આ ઉપરાંત રવિવારે પણ લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. દર વર્ષે વૈશાખ સુદ 12 ના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી બે થી ત્રણ લાખ લોકો ઉમટી પડે છે.

એક લોકવાયકા પ્રમાણે માઁ મોગલ ચોર ઉપર કોપાયમાન થાય છે. જેથી ભગુડા ગામમાં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. ગામલોકોને માતાજી પ્રત્યે એટલી શ્રધ્ધા છે અને માતાજી ચોરને હાજરા હજુર પરચા દેખાડતા હોવાથી ભગુડા ગામના એક પણ ઘર કે દુકાનમાં ક્યારેય તાળુ મરાતું નથી.

કોઈ વ્યવસ્થાના ભાગે તાળા મરાતા હોય તે અપવાદરૂપ છે. ભગુડા ગામમાં આહિર પરિવારના 250 ખોરડા છે. જેમાંથી કામળિયા સોરઠિયા આહિર જ્ઞાાતિના 60 કુટુંબનો દર ત્રણ વર્ષે માતાજીને તરવેડો (ભેળિયો) ચડે છે.

મોગલ માતાનું જન્મ ભીંગરાળામાં થયો

મોગલ માતાના જન્મ વિશે એવું કહેવાય છે કે, તેમનું જન્મસ્થાન દ્વારકા – બેટદ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે.  આશરે 1800થી 2000 વર્ષ પહેલા મોગલ માતાજીનો ભીંગરાળામાં જન્મ થયો હતો.  ગુજરાતમાં માતાજીના મુખ્ય ચાર ધામો છે. જેમાં માઁ (દ્વારકા), ગોરયાળી-બગસરા, રાણેસર (બાવળા) અને ભગુડા ધામ છે.

ભગુડા ગામ વિશે પણ ઐતિહાસિક લોકવાયકા છે. સતયુગમાં અવતરેલા ભગુઋષિના નામે ભગુડા ગામનું નામ પડયું છે.  ભગુડાની ભૂમિ નળરાજાની તપોભૂમિ છે. ગામમાં અનેક પુરાતન ભોયરા(ગુફાઓ) આવેલા છે.

Leave a Reply

Your email address will not be published.