Uncategorized

વહેલી સવારે ઉઠી 5 થી 6 કાળા મરીના દાણા ખાશો તો થશે આટલા ફાયદા, આ છે તેને ખાવાની સાચી રીત

મિત્રો, હાલ વર્તમાન સમય એવો બની ગયો છે કે વ્યક્તિ પાસે સ્વયં વિશે વિચારવા નો તથા સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવા નો સમય જ નથી. આજે આ લેખ મા અમે તમને એક વિશેષ માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ માહિતી છે કાળી મરી વિશે. તો ચાલો જાણીએ કાળા મરી થી થતાં ફાયદાઓ વિશે

ઉધરસ દૂર થશે :

ઉધરસ ની સમસ્યા થાય ત્યારે ૧/૨ ચમચી કાળા મરીનું ચૂર્ણ અને ૧/૨ ચમચી મધ મિક્સ કરીને એને દિવસમાં 3 થી 4 વખત ચાટવું, આમ કરવાથી તમારી ઉધરસ ની સમસ્યા દૂર થઇ જશે.

ગેસ ની સમસ્યા દૂર થશે :

જો તમે ગેસ ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો ૧ કપ પાણી મા ૧/૨ લીંબુ નો રસ નીચવીને અને એમાં ૧/૨ ચમચી કાળા મરીનું ચૂર્ણ અને ૧/૨ ચમચી સિંધવ નમક મિક્સ કરીને નિરંતર તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થઇ જાય છે.

ગળું બેસી જવાની સમસ્યા દૂર થશે :

જયારે પણ ગળું બેસી જવાની સમસ્યા ઉદભવે તો કાળામરીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને તેને ચાટવાથી બંધ થયેલું ગળું ખુલી જાય છે તથા તમારો અવાજ પણ મધુર બની જાય છે. આ સિવાય 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી પણ ગળાનું સંક્રમણ દુર થઇ જશે.

સ્કિન ની સમસ્યા દૂર થાય :

કાળી મરી ને બારીક ક્રશ કરીને ઘી મા મિકસ કરી તેનો લેપ લગાડવા થી સ્કિન ની સમસ્યા દૂર થઇ જાય છે. કાળા મરી નું સેવન કરવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ જેવી કે કાળા દાગ કે નિશાન, ખીલ વગેરે દૂર થઇ જાય છે.

પેટ સંબંધિત સમસ્યા દૂર થાય :

જો તમે પેટ સંબંધિત કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિકસ કરીને તેનું સેવન કરી લો. આ ઉપરાંત દ્રાક્ષની સાથે કાળી મરી નું દિવસમાં 3 વાર સેવન કરવું જેથી તમને આ પેટની સમસ્યામાંથી મુક્તિ મળશે તથા તમારા પેટના તમામ કીડા મરી જશે.

આ સિવાય જો પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા ઉદભવી રહી હોય તો તુરંત લીંબુના રસમાં કાળામરીનો પાવડર અને નમક મિકસ કરી તેનું સેવન કરી લો. આ ઉપચાર તમારી અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે.

નેત્રો ની સમસ્યા દૂર થાય :

જો તમે નેત્રો ની સમસ્યા થી પીડાતા હોવ તો કાળા મરીને પીસીને એનો પાવડર બનાવી લો ત્યાર બાદ તેને દેશી ગાયના ઘીની સાથે મિક્સ કરવાથી તેનું નિયમિત સેવન કરવાથી તમારી નેત્રો સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.

ગઠિયા ની સમસ્યા દૂર થાય :

જે લોકો ગઠિયાની સમસ્યા થી પીડાતા હોય, તે લોકો તલના ઓઈલ ને ગરમ કરીને તેમાં કાળા મરી ઉમેરી મિક્સ કરો અને તેને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરવું, આવું કરવાથી ગઠિયા ની સમસ્યા માંથી રાહત મળશે.

શ્વાસની સમસ્યા દૂર થાય :

જો કોઈ વ્યક્તિ શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા થી પીડાતું હોય તો ફૂદીનાની છાશમાં કાળા મરી ઉમેરીને તેનું સેવન કરવું જે તમારા માટે લાભદાયી સાબિત થશે.

હરસમાં પણ લાભદાયી :

હરસ ની સમસ્યા થી પીડાતા લોકો માટે કાળી મરી દવાથી કમ નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને ક્રશ કરીને પાવડર બનાવી લો ત્યાર બાદ આ પાવડરનું સવારે તથા સાંજ સેવન કરવું. આ પાવડરના સેવન થી હરસની સમસ્યા દુર થશે. પરંતુ, આના માટે તમારે જંકફૂડ તથા ઓઈલી ફૂડ ના સેવન થી દૂર રહેવું પડશે.

દાંતોની સમસ્યા દૂર થશે :

દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દર્દ, દાંત બગડી જવા વગેરે માંથી મુક્તિ મેળવવાનો કાળામરી શ્રેષ્ઠ ઈલાજ છે. દાંતમાં થતાં દર્દ ને દૂર કરવા માટે કાળામરીના દાણાને દાંત વચ્ચે રાખીને નિરંતર ચાવવા, આનાથી દાંતનો દર્દ દૂર થઈ જશે. દાંતોમાં પાયોરિયા ની સમસ્યા હોય તો મરીના પાવડરને નમક સાથે મિક્સ કરીને દાંતો પર લગાવવામાં આવે તો પણ તમને રાહત મળશે.

નબળી યાદશક્તિ ની સમસ્યા દૂર થશે :

જો તમે યાદશક્તિ નબળી થવાની સમસ્યા થી પીડાતા હોવ તો મધમાં કાળામરીનો પાવડર મિક્સ કરી દિવસમાં 2 વખત તેનું સેવન કરવું. તમને લાભ અવશ્ય થશે.

શરદી ની સમસ્યા દૂર થાય :

શરદી ની સમસ્યા ઉદભવે તો મધ સાથે કાળામરીના દાણાનું સેવન કરવું, આ પ્રક્રિયા દિવસમાં 3 વાર કરવું. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદી ની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

હાઈ બલ્ડ પ્રેસર ની સમસ્યા દૂર થાય :

કાળામરી બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવા ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે હાઈબ્લડ પ્રેસરની સમસ્યા થી પીડાતા હોવ તો નિયમિત જમ્યા બાદ ૧ ચમચી કાળામરીનું ૧ ગ્લાસ પાણી સાથે પીવો જેથી તમારું બ્લડ પ્રેસર નિયંત્રિત દૂર થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *